EVM મુદ્દે ઉદિત રાજે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ પર આપ્યું વિવાદિત નિવેદન
નવી દિલ્હી, તા. 22 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીમાં EVMનો મુદ્દો ગરમાયેલો છે. વિપક્ષી દળો વારંવાર EVMની સુરક્ષાને લઇન સવાલો ઉઠાવી રહ્યાં છે ત્યારે હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા ઉદિત રાજે આ મામલે સુપ્રીમ કોર્ટ પર અને ચૂંટણી પંચ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરી કહ્યું કે, સુપ્રીમ કોર્ટ શા માટે નથી ઇચ્છતી કે VVPATની તમામ ચિઠ્ઠીઓને ગણવામાં આવે, શું તે પણ આ ધાંધલીમાં સામેલ છે? ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે લગભગ ત્રણ મહિનાથી તમામ કામ મંદ પડ્યું છે, તો ગણતરીમાં બે-ત્રણ દિવસ લાગી જાય તો શું ફરક પડે છે. ઉદિત રાજે આ ટ્વીટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ટેગ કર્યા છે.
આ સિવાય ઉદિત રાજે ચૂંટણી પંચ વિશે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપને જ્યાં-જ્યાં EVM બદલવાની હતી ત્યાં બદલી દીધી હશે, તે માટે તો ચૂંટણી સાત તબક્કામાં યોજી અને તમારું કોઇ નહી સાંભળે રાડો પાડતા રહો, લખવાથી કંઇ નહી થાય, રોડ પર આવવું પડશે. જો દેશને આ અંગ્રેજોના ગુલામોથી બચાવવો હોય તો આંદોલન કરવું પડશે. સાહેબ, ચૂંટણી પંચ વેચાય ચૂક્યું છે.
No comments: