બંધ થયેલી જેટ એરવેઝના કર્મચારીએ ચોથા માળથી લગાવી મોતની છલાંગ

નવી દિલ્હી, તા. 28. એપ્રિલ 2019 રવિવાર

જેટ એરવેઝ બંધ થઈ જવાના કારણે હજારો કર્મચારીઓ બેકાર થઈ ગયા છે.તેવામાં એક કર્મચારીએ મુંબઈમાં આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

જેટ એરવેઝના સિનિયર ટેકનિશિયન 45 વર્ષીય શૈલેશ સિંહે પાલઘર વિસ્તારમાં નાલાસોપારા ઈસ્ટમાં ચાર માળની એક ઈમારત પરથી મોતની છલાંગ લગાવી હતી.જેટના સ્ટાફના કહેવા પ્રમાણે જેટ એરવેઝ બંધ થવાથી શૈલશ સિંહ આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા હતા.

શૈલશ સિંહ જેવા લગભગ 20000 જેટ એરવેઝના કર્મચારીઓને છેલ્લા કેટલાય મહિનાઓથી સેલેરી મળી નથી.તેવામાં શૈલેશ સિંહ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે, કેન્સરની બીમારીના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા.આથી તેમણે જીવ આપી દીધો હતો.

કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારોએ જંતર મંતર પર કેન્ડલ માર્ચ પણ કરી છે.કર્મચારીઓએ થોડા દિવસ પહેલા મોદી સરકારને પત્ર લખીને નોકરી બચાવી લેવા માટે પણ અપીલ કરી હતી.



બંધ થયેલી જેટ એરવેઝના કર્મચારીએ ચોથા માળથી લગાવી મોતની છલાંગ બંધ થયેલી જેટ એરવેઝના કર્મચારીએ ચોથા માળથી લગાવી મોતની છલાંગ Reviewed by GK Exam Guruji on April 27, 2019 Rating: 5

Post Comments

No comments:

Powered by Blogger.