હાર જીત તો ચાલ્યા કરે રાજીનામુ આપવાની જરૂર નથી: મનમોહન સિંહ

નવી દિલ્હી, તા. 25 મે 2019 શનિવાર

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. બેઠકમા રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી છે. રાહુલને સોનિયા અને મનમોહન મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેઓ રાજીનામુ આપવા પર અડગ છે. રાહુલને પૂછવામાં આવી રહ્યુ છે કે તમે નહીં તો બીજુ કોણ? આની પર રાહુલે મૌન સાધ્યુ છે. હાલ મંથન ચાલુ છે.

મોદીની સુનામીમાં કોંગ્રેસની જે હાર થઈ છે તેનાથી દરેક આશ્ચર્યમાં છે. હાર પર મંથન કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ એકત્ર થયા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પહોંચી ગયા છે. 



હાર જીત તો ચાલ્યા કરે રાજીનામુ આપવાની જરૂર નથી: મનમોહન સિંહ હાર જીત તો ચાલ્યા કરે રાજીનામુ આપવાની જરૂર નથી: મનમોહન સિંહ Reviewed by GK Exam Guruji on May 25, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.