20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ... CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત નારાજ, ગૃહમાં બોલાચાલી

Suvendu Adhikari And Ritabrata Banerjee Clash : પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મંગળવારે વિસ્તારોના નામકરણ અને રસ્તાઓના નામ બદલવા મામલે મોટો વિવાદ સર્જાયો હતો. કોલકાતાના પ્રખ્યાત સુહરાવર્દી એવેન્યુનું નામ બદલવાના સરકારના નિર્ણય સામે વિપક્ષી નેતા ઋતબ્રત બેનર્જીએ ગૃહમાં આકરી ટીકા કરી હતી. આ આલોચના સાંભળતા જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ભડક્યા હતા અને તેમની વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થઈ હતી. CM શુભેન્દુએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે કોલકાતામાં હવેથી મુગલો કે પઠાણોના નામ પર કોઈ સડક રાખવામાં આવશે નહીં.
સુહરાવર્દી એવેન્યુનું નામ બદલાયું
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ... CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત નારાજ, ગૃહમાં બોલાચાલી
Reviewed by GK Exam Guruji
on
June 23, 2026
Rating:
No comments: