આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે પરંતુ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી

AI Summit and IMF Chief News : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં નવા યુગની શરૂઆત થશે અને વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળશે. ભારત એઆઈની મદદથી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકશે, પરંતુ એઆઈથી ભારતમાં લાખો નોકરીઓ પર સંકટ ઊભું થશે. પ્રત્યેક ૧૦માંથી ચાર નોકરી જવાનું જોખમ રહેશે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ ઈન્ડિયા એઆઈ સમિટમાં જણાવ્યું હતું. બીજીબાજુ ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું કે, રોબોટ જેવા કેટલાક ક્ષેત્રોમાં ચીન ઘણું આગળ છે, પરંતુ એઆઈમાં ભારતનો વિકાસ શાનદાર રહ્યો છે. એઆઈની લોકતાંત્રિક આવૃત્તિની શક્ય છે, જેનાથી આર્થિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ શકે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે પરંતુ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી
Reviewed by GK Exam Guruji
on
February 20, 2026
Rating:
No comments: