રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા
Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસથી સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રસરી છે. આ કેસમાં સતત નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાકાંડમાં સામેલ ચારેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ રાજા રઘુવંશીની હત્યા અને હત્યા પછી મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દેવાની કબૂલાત કરી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી તરીકે વર્ણવવામાં આવી છે.
રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા
Reviewed by GK Exam Guruji
on
June 10, 2025
Rating:
No comments: