બોંબ વિસ્ફોટ બાદ શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ ઇમર્જન્સી લાદી, મૃતકઆંક 290 પહોંચ્યો


નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2019, સોમવાર

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં મૃતકઆંક 290એ પહોંચ્યો છે. આ વિસ્ફોટ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ સોમવારે મધ્યરાત્રીથી પુરા દેશમાં ઇમર્જન્સી લાગૂ કરી છે. આ ઉપરાંત શ્રીલંકા પોલીસને કોલંબોના મુખ્ય બસ સ્ટેન્ડ પરથી 87 બોંબ ડેટોનેટર્સ મળ્યા છે. સીરિયલ બ્લાસ્ટની તપાસ કરી રહેલી શ્રીલંકાની પોલીસ અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

જ્યારે સોમવારે સવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક બોંબ મળી આવ્યો જેને સુરક્ષાદળો ડિફ્યૂઝ કરી દીધો. આ હુમલામાં 4 ભારતીય પીએસ રજીના, લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશના મોત થયાં છે. હુમલા બાદ અફવાને રોકવા માટે સરકારે સોશિયલ મીડિયા પર રોક લગાવી હતી. ગૃહયુદ્ધ બાદ 10 વર્ષોથી શાંત રહેતા દ્વિપિય દેશ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા બ્લાસ્ટથી હચમચી ગયું.


બોંબ વિસ્ફોટ બાદ શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ ઇમર્જન્સી લાદી, મૃતકઆંક 290 પહોંચ્યો બોંબ વિસ્ફોટ બાદ શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ ઇમર્જન્સી લાદી, મૃતકઆંક 290 પહોંચ્યો Reviewed by GK Exam Guruji on April 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.